કાવ્ય : 53
*
ધમ્મપદમાં બુદ્ધ કહે છે
બ્રાહ્મણ એ છે જે પ્રબુદ્ધ છે.
એટલે કે જે પ્રબુદ્ધ છે તે સૌ બ્રાહ્મણ છે.
બ્રાહ્મણ એ છે જે પ્રબુદ્ધ છે.
એટલે કે જે પ્રબુદ્ધ છે તે સૌ બ્રાહ્મણ છે.
એટલે કે અન્ય સૌ ઈતરવર્ણીની જેમ
નામજોગી બ્રાહ્મણોય
બે પ્રકારના હોઈ શકે :
જ્ઞાની અને અજ્ઞાની,
પ્રબુદ્ધ અને બુદ્ધુ.
પ્રગતિશીલ અને પુરાણપંથી,
પ્રોગ્રેસિવ અને કન્ઝર્વેટિવ.
નામજોગી બ્રાહ્મણોય
બે પ્રકારના હોઈ શકે :
જ્ઞાની અને અજ્ઞાની,
પ્રબુદ્ધ અને બુદ્ધુ.
પ્રગતિશીલ અને પુરાણપંથી,
પ્રોગ્રેસિવ અને કન્ઝર્વેટિવ.
મારા અનેક બ્રાહ્મણ મિત્રો પ્રબુદ્ધ છે,
બેચાર બુદ્ધુઓ પણ છે,
પણ છે સૌ ઈતરવર્ણી માણસ જેવા
પ્રેમાળ અને ભલાભોળા બુદ્ધુઓ.
બેચાર બુદ્ધુઓ પણ છે,
પણ છે સૌ ઈતરવર્ણી માણસ જેવા
પ્રેમાળ અને ભલાભોળા બુદ્ધુઓ.
પણ અનેકો બ્રાહ્મણો
હજી પુરાણોને જ બ્રહ્મજ્ઞાન માને છે,
સ્મૃતિઓને જ શ્રેષ્ઠજ્ઞાન માને છે.
હજી પુરાણોને જ બ્રહ્મજ્ઞાન માને છે,
સ્મૃતિઓને જ શ્રેષ્ઠજ્ઞાન માને છે.
હર બિનબ્રાહ્મણની જેમ
તેઓ છેલ્લી વીસેક સદીઓના સેક્યુલર નવજ્ઞાનસર્જનથી વંચિત છે.
એટલે જ સૌ બિનબ્રાહ્મણોની જેમ તેઓ બુદ્ધુઓ પણ છે.
તેઓ છેલ્લી વીસેક સદીઓના સેક્યુલર નવજ્ઞાનસર્જનથી વંચિત છે.
એટલે જ સૌ બિનબ્રાહ્મણોની જેમ તેઓ બુદ્ધુઓ પણ છે.
અલબત્ત, ઈતરવર્ણીઓથી ભારે કટ્ટર.
જન્મથી જ પોતાને સર્વોચ્ચ માને,
ઈતરવર્ણીઓને જન્મથી જ ઉતરતા ને હીન માને,
શૂદ્રોને તો ગુલામ જ સમજે,
અતિશૂદ્રોને તો પશુઓથીય પતિત ને પાપી માને,
તેમના પડછાયાથીય અભડાય.
જન્મથી જ પોતાને સર્વોચ્ચ માને,
ઈતરવર્ણીઓને જન્મથી જ ઉતરતા ને હીન માને,
શૂદ્રોને તો ગુલામ જ સમજે,
અતિશૂદ્રોને તો પશુઓથીય પતિત ને પાપી માને,
તેમના પડછાયાથીય અભડાય.
માનવી માત્રની જેમ બ્રાહ્મણો પણ બે પ્રકારના હોય છે : પ્રબુદ્ધ અને બુદ્ધુ.
એ જ પૂરાવો છે
બધા બ્રાહ્મણો બ્રાહ્મણ નથી હોતા,
તેઓ અન્ય સૌ માનવીઓની જેમ જ ઉત્ક્રાંતિથી સંસ્કૃતિ તરફના પ્રવાસીઓ હોય છે.
જેમ બાકીના સૌ
ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર નથી હોતા,
કેવળ માનવીઓ જ હોય છે,
પ્રબુદ્ધ કે બુદ્ધુ.
એ જ પૂરાવો છે
બધા બ્રાહ્મણો બ્રાહ્મણ નથી હોતા,
તેઓ અન્ય સૌ માનવીઓની જેમ જ ઉત્ક્રાંતિથી સંસ્કૃતિ તરફના પ્રવાસીઓ હોય છે.
જેમ બાકીના સૌ
ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર નથી હોતા,
કેવળ માનવીઓ જ હોય છે,
પ્રબુદ્ધ કે બુદ્ધુ.
*
નીરવ પટેલ
6-2-2019
Comments
Post a Comment