કાશ્મીરનું પુલવામા એટલે
લીલીછમ ડાંગરનાં ખેતરો
ને કૂણા કેસરની વાડીઓ.
પાણીથી છલોછલ સરોવરો
ને સેલારા મારતી નદીઓ.
ને કૂણા કેસરની વાડીઓ.
પાણીથી છલોછલ સરોવરો
ને સેલારા મારતી નદીઓ.
ધરતી પરના આ સ્વર્ગને સમરાંગણ બનાવી દીધું છે જિદ્દી રાજકારણીઓએ:
સમાચાર છે
કોન્વોય કાઢીને નીકળેલા 40 સૈનિકોના ફૂરચેફૂરચા નીકળી ગયા
એક ફિદાયિનના RDXથી!
વળી એ પહેલાં સમાચાર હતા કે સર્જિકલ સ્ટ્રાઈકમાં
કેટલાક ફિદાયિનના પણ આમ જ ફૂરચેફૂરચા થઈ ગયેલા.
મારો કાપોનો આ સિલસિલો ચાલ્યા કરે છે.
કોન્વોય કાઢીને નીકળેલા 40 સૈનિકોના ફૂરચેફૂરચા નીકળી ગયા
એક ફિદાયિનના RDXથી!
વળી એ પહેલાં સમાચાર હતા કે સર્જિકલ સ્ટ્રાઈકમાં
કેટલાક ફિદાયિનના પણ આમ જ ફૂરચેફૂરચા થઈ ગયેલા.
મારો કાપોનો આ સિલસિલો ચાલ્યા કરે છે.
ખંધા રાજકારણીઓ
ભગવાનો અને ધર્મગ્રંથોને ટાંકે છે :
આ ધર્મયુદ્ધ છે,
લડવું તમારું કર્તવ્ય છે.
જીતશો તો રાજા થશો,
ને મરશો તો તમને સ્વર્ગની હૂર અને અપ્સરાઓ મળશે.
ભગવાનો અને ધર્મગ્રંથોને ટાંકે છે :
આ ધર્મયુદ્ધ છે,
લડવું તમારું કર્તવ્ય છે.
જીતશો તો રાજા થશો,
ને મરશો તો તમને સ્વર્ગની હૂર અને અપ્સરાઓ મળશે.
સામ્રાજ્યવાદીઓ જિહાદો ને અશ્વમેધ યજ્ઞો કરી પોતાની આણમાં લાવે છે પોતાની મોજમાં જીવતી
પાડોશી પ્રજાઓને.
પાડોશી પ્રજાઓને.
પણ તેઓ ભૂલી જાય છે
આઝાદી સૌને પ્યારી હોય છે,
ને આધિપત્ય કોઈનું ગમતું નથી.
સ્વાતંત્ર્ય માટે લોકો શહીદી
વહોરી લે છે,
આઝાદી માટે લોકો વીરગતિને પ્રાપ્ત થાય છે.
આઝાદી સૌને પ્યારી હોય છે,
ને આધિપત્ય કોઈનું ગમતું નથી.
સ્વાતંત્ર્ય માટે લોકો શહીદી
વહોરી લે છે,
આઝાદી માટે લોકો વીરગતિને પ્રાપ્ત થાય છે.
અફસોસ, મહાભારતના યુદ્ધની કે વિશ્વયુદ્ધોની ભયંકર ખુવારી પછીય
કોઈ રાજામાં કલિંગબોધ જન્મતો નથી.
UNO શાન્તિનાં ચાર્ટરો છાપ્યા કરે છે,
ને ભારત જેવા દેશો 'વસુધૈવ કુટુંબકમ'ની ઓષ્ઠસેવાઓ આપ્યા કરે છે વિશ્વને.
કોઈ રાજામાં કલિંગબોધ જન્મતો નથી.
UNO શાન્તિનાં ચાર્ટરો છાપ્યા કરે છે,
ને ભારત જેવા દેશો 'વસુધૈવ કુટુંબકમ'ની ઓષ્ઠસેવાઓ આપ્યા કરે છે વિશ્વને.
*
નીરવ પટેલ
17-2-2019
Comments
Post a Comment