કાવ્ય : 41
*
ધાર્મિકો માટે ધર્મની ટીકા અસહ્ય બની જાય છે.
તેઓ માને છે કે ધર્મ માનવજાતનો એક માત્ર ઉદ્ધારક છે.
તેઓ પયગંબરોના એ વિધાનને માની લે છે કે ધર્મ તો આકાશમાં બેઠેલા સર્વજ્ઞ, સર્વસત્તાધીશ એવા ખુદ ઈશ્વરે પ્રબોધેલ વાણી છે.
એનો અનાદર ઈશ્વરની ખફગી નોતરે છે,
ઈશ્વર પોતાનું ત્રીજું નેત્ર ખોલીને પૂરા વિશ્વનો વિલય કરી શકે છે.
તેઓ પયગંબરોના એ વિધાનને માની લે છે કે ધર્મ તો આકાશમાં બેઠેલા સર્વજ્ઞ, સર્વસત્તાધીશ એવા ખુદ ઈશ્વરે પ્રબોધેલ વાણી છે.
એનો અનાદર ઈશ્વરની ખફગી નોતરે છે,
ઈશ્વર પોતાનું ત્રીજું નેત્ર ખોલીને પૂરા વિશ્વનો વિલય કરી શકે છે.
ધાર્મિક ઈશ્વરથી ખૂબ ભયભીત છે.
એથી વિપરિત,
માનવકલ્યાણમાં માનતા ચિંતકો
વિશ્વની, પ્રુથ્વીની, માનવીની, ઈશ્વરની ઉત્પત્તિ વિશે ઈતિહાસમાં ઊંડા ઉતરે છે.
અને તેઓ પામે છે કે
ઈશ્વર અને ધર્મ માનવીની ખુદની જે તે સમયની જરૂરિયાતની નિપજ માત્ર છે,
અને તે જે તે પ્રિમિટિવ સમયના ચિંતકોની કલ્પના માત્ર છે.
માનવકલ્યાણમાં માનતા ચિંતકો
વિશ્વની, પ્રુથ્વીની, માનવીની, ઈશ્વરની ઉત્પત્તિ વિશે ઈતિહાસમાં ઊંડા ઉતરે છે.
અને તેઓ પામે છે કે
ઈશ્વર અને ધર્મ માનવીની ખુદની જે તે સમયની જરૂરિયાતની નિપજ માત્ર છે,
અને તે જે તે પ્રિમિટિવ સમયના ચિંતકોની કલ્પના માત્ર છે.
આધુનિકોને હવે ધર્મ કે ઈશ્વરની અનિવાર્યતા મહેસૂસ થતી નથી.
તેઓ કહે છે
જો માનવકલ્યાણ અને માનવવિકાસ
જ વ્યાપક ધ્યેય હોય તો તો
કપોળકલ્પિત ઈશ્વર અને એના આઉટડેટેડ ધર્મ કરતાં
UNOનું એક યુનિવર્સલ ચાર્ટર વધારે ઈફેક્ટિવ છે.
તેઓ કહે છે
જો માનવકલ્યાણ અને માનવવિકાસ
જ વ્યાપક ધ્યેય હોય તો તો
કપોળકલ્પિત ઈશ્વર અને એના આઉટડેટેડ ધર્મ કરતાં
UNOનું એક યુનિવર્સલ ચાર્ટર વધારે ઈફેક્ટિવ છે.
ધાર્મિકો અને આધુનિકોનો તુમુલ સંઘર્ષ ચાલ્યા કરે છે.
અંધશ્રદ્ધા અને વિજ્ઞાનનો તુમુલ સંઘર્ષ ચાલ્યા કરે છે.
અંધશ્રદ્ધા અને વિજ્ઞાનનો તુમુલ સંઘર્ષ ચાલ્યા કરે છે.
*
નીરવ પટેલ
27-1-2019
*
(નોંધ
: માત્ર પૂરાણી બૂકીશ વ્યાખ્યાઓથી 'કવિતા'ને ઓળખતા મિત્રોને એટલું જ કહેવાનું
કવિતા ન કેવળ લાગણીઓની અભિવ્યક્તિ હોય છે, તે
વિચારોની પણ અભિવ્યક્તિ હોય છે, તે thought provoking પણ
હોઈ શકે છે. અને એનું આગવું એસ્થેટિક્સ હોય છે.)
Comments
Post a Comment