કાવ્ય : 47
*
હિંદુ ધર્મની અનેક જાતિઓ અને પંથો છતાં,
હિંદુઓ માત્ર બે જ પ્રકારના હોય છે.
હિંદુઓ માત્ર બે જ પ્રકારના હોય છે.
ઉદારમતવાદી હિંદુઓ
અને કટ્ટરપંથી હિંદુઓ.
અને કટ્ટરપંથી હિંદુઓ.
માનવતાવાદી હિંદુઓ
અને હિંદુત્વવાદી હિંદુઓ.
અને હિંદુત્વવાદી હિંદુઓ.
દેશપ્રેમી હિંદુઓ
અને હિંદુરાષ્ટ્રપ્રેમી હિંદુઓ.
અને હિંદુરાષ્ટ્રપ્રેમી હિંદુઓ.
ઉપનિષદપંથી હિંદુઓ
અને પુરાણપંથી હિંદુઓ.
અને પુરાણપંથી હિંદુઓ.
આધુનિકતાવાદી હિંદુઓ
અને પુરાતન-સનાતનવાદી હિંદુઓ.
અને પુરાતન-સનાતનવાદી હિંદુઓ.
ધર્માંધ હિંદુઓ,
અને ધર્મનિરપેક્ષ હિંદુઓ.
અને ધર્મનિરપેક્ષ હિંદુઓ.
RSS-VHP-BJP-શિવસેનાના હિંદુઓ
અને એ સિવાયના બાકીના હિંદુઓ.
અને એ સિવાયના બાકીના હિંદુઓ.
હિંદુ મહાસભાના હિંદુઓ
અને મહાત્મા ગાંધીના હિંદુઓ.
અને મહાત્મા ગાંધીના હિંદુઓ.
હિંદુઓ મૂળે બે જ પ્રકારના હોય છે :
'વસુધૈવ કુટુંબકમ'માં માનવાવાળા હિંદુઓ.
અને 'શ્રેણીબદ્ધ બહુજાતિ હિન્દુકુટુંબકમ'માં માનવાવાળા હિંદુઓ.
અને 'શ્રેણીબદ્ધ બહુજાતિ હિન્દુકુટુંબકમ'માં માનવાવાળા હિંદુઓ.
*
નીરવ પટેલ
31-1-2019
Comments
Post a Comment